Nirmal Metro Gujarati News
article

વટવા ભાજપ પરીવાર દ્વારા વટવા વોર્ડના પ્રમુખ તરીકે નિમણુંક પામેલા પ્રતીકભાઈ પટેલની ભવ્ય અભિવાદન યાત્રા યોજાઈ

 

 

સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે જે અંતર્ગત ગુજરાત ભાજપમાં મંડલ પ્રમુખોની નિમણૂકો થઇ છે ત્યારે કર્ણાવતી મહાનગરની વટવા વિધાનસભાના વટવા, રામોલ-હાથીજણ અને વસ્ત્રાલ વોર્ડમાં પણ વોર્ડ પ્રમુખની નિયુક્તિ થઇ છે.
વટવા ભાજપ પરીવાર દ્વારા વટવા વોર્ડના પ્રમુખ તરીકે નિમણુંક પામેલા પ્રતીકભાઈ પટેલની ભવ્ય અભિવાદન યાત્રા યોજાઈ હતી. જેમાં આશરે 800 જેટલાં બાઈક, 30 જેટલી કાર જોડાઈ હતી.
પ્રતીકભાઈ પટેલ સંગઠનના જાણકાર,જમીન સાથે જોડાયેલા કાર્યકર્તા અને વટવાના નગરજનોમાં આગવી છાપ ધરાવતા નવયુવાન હોવાથી આ અભિવાદન યાત્રાનું વિસ્તારના વિવિધ સ્થાનો પર ઢોલનગારા, ડીજે, ફૂલહાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
વટવા ગામ ખાતે પોહચેલી અભિવાદન યાત્રામાં ગામની માતા-બહેનો એ પોતાના લાડકા પ્રતીકના ઓવારણાં લઇ રાષ્ટ્રસેવામાં અવિરત કાર્યરત રહેવા આશીર્વાદ આપ્યા હતા.
યાત્રા દરમિયાન પ્રતીકભાઈ પટેલે પોતાની પર વિશ્વાસ મૂકી પ્રમુખ જેવી મહત્વપૂર્ણ જવાબદારી આપવા બદલ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવ અને પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વનો આભાર માની વિસ્તારમાં પાર્ટીનો વ્યાપ વધારવા સતત સક્રિય રહેશે તેવો મત વ્યક્ત કર્યો હતો.

Related posts

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાઇરેક્ટ ટેક્સીસ (સી.બી.ડી.ટી.) ના ચેરમેન શ્રી રવિ અગરવાલની 3 દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને ઈન્ક્મટેક્સ બાર એસોશિએશન, અમદાવાદ ના પદાધિકારીઓ એ તેઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને મેમેન્ટો અને શાલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓલ ગુજરાત ફેડરેશન ના પ્રમુખ સીએ (ડો.) વિશ્વેશ શાહ, માનદ્દ મંત્રી એડવોકેટ મૃદંગ વકીલ અને વરિષ્ઠ ઉપપ્રમુખ એડવોકેટ આશુતોષ ઠક્કર તેમજ ઇન્કમટેક્સ બાર એસોસિએશન ના પ્રમુખ સીએ શ્રીધર શાહ, માનદ્દ મંત્રી સીએ કેનન સત્યવાદી અને રિપ્રેઝન્ટેશન કમિટીના ચેરમેન એડવોકેટ (ડો.) ધ્રુવેન શાહ બંને સંસ્થા વતી ઉપસ્થિત રહ્યાં હતા. આવકવેરા વિભાગ તરફથી પ્રિન્સિપાલ ચીફ કમિશનર શ્રી યશવંત ચવાણ અને વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. બંને સંસ્થાના ડેલિગેશન દ્વારા ઇન્કમટેક્સના કાયદા અંગે સી.બી.ડી.ટી. દ્વારા લેવામાં આવેલ વિવિધ સરાહનીય પગલાંઓ તેમજ કરદાતાને પડતી મુશ્કેલીઓ અંગે વિચાર-વિમર્શ કરવામાં આવ્યા હતા. ચેરમેન શ્રી રવિ અગરવાલે કરદાતાને આવકવેરા ડિપાર્ટમેન્ટ સાથે જોડતા સેતુ તરીકે ટેક્સ પ્રોફેશનલ્સની ભૂમિકા અંગે સરાહના કરી હતી અને ખાતરી આપી કે આવનારા સુધારાઓ અંગે કરદાતા અને ટેક્સ પ્રોફેશનલ્સ દ્વારા રજૂ કરવામાં આવતા તમામ મુદ્દાને ધ્યાનમાં લેવામાં અને તે અંગે જોગવાઇમાં જરૂરી ફેરફારો કરવામાં આવશે. બંને સંસ્થા દ્વારા થઈ રહેલ કામગીરીની સરાહના કરતાં તેઓ એ બંને સંસ્થાઓના પ્રતિનિધિઓ તરફથી આવનારા નવા ઈન્કમટેકસ કોડ અંગે લગતા સૂચન આવકાર્યા હતા અને બંને સંસ્થા તેમાં મહત્વનો ભાગ ભજવી શકે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Reporter1

Turkish Technic Provides Redelivery Check for IndiGo’s Airbus A320neo

Reporter1

North East Trade and Investment Roadshow in Ahmedabad to highlight Trade and Investment Opportunities in North Eastern Region Dr. Sukanta Majumdar, Hon’ble Minister of State, MDoNER, to attend the event

Reporter1
Translate »