Nirmal Metro Gujarati News
Uncategorized

Morari Bapu’s tributes and assistance to victims of Kuwait fire tragedy, UP road accident

પ્રાપ્ત વિગતો અનુસાર કુવૈત માં એક રહેણાંકના ઈમારતમાં આગ લાગવાથી ૪૧ લોકોનાં કરુણ મોત નીપજયા છે જેમાં ૧૦ ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. આ આંકડો વઘે તેવી ભીતી સેવાઈ રહી છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૬,૧૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. કુવૈત ની કરન્સી મુજબ આ રાશિ પ્રત્યેકને ૫૫ કુવૈતી રિયાલ થશે જે રામકથાના શ્રોતા દ્વારા પહોંચતી કરવામાં આવશે.
અકસ્માતની બીજી ઘટનામાં ઉત્તરપ્રદેશ ના હરદોઈ ખાતે એક ટ્રક ફૂટપાથ પર સૂતેલા લોકો પર પડતાં ૮ લોકોનાં મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા પણ ૧,૨૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે લખનૌ સ્થિત શ્રોતાઓ દ્વારા પહોંચતી કરવામાં આવશે. બંને ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારીબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

Samsung to Launch 10 AI Washing Machines in India Ahead of the Festive Season

Reporter1

અનંત ભાઈ અંબાણીના લગ્ન: કલા, સિનેમા અને રાજકારણ વચ્ચે વૈશ્વિક સાંસ્કૃતિક જોડાણ

Reporter1

હાયર ઈન્ડિયાએ કિનોચી ડાર્ક એડિશન એર કંડિશનર રજૂ કર્યું, ગ્રાહકોને એલિગન્સ અને ઇનોવેશનનું પરફેક્ટ મિશ્રણ ઓફર કરે છે.

Reporter1
Translate »