Nirmal Metro Gujarati News
Uncategorized

મોરબી અને બોટાદ નજીક પાણીમાં ડૂબી જતાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત પર જાણે કાળચક્ર ફરી રહ્યું હોય તેમ અકુદરતી મૃત્યુનો સીલસીલો અટકવાનું નામ નથી લેતો. હજુ ભાવનગરમાં બોર તળાવમાં ચાર કિશોરીઓ પાણીમાં ડૂબી જતાં મૃત્યુ પામી તે ઘટનાની શાહી સૂકાઇ નથી ત્યાં માળીયાના વર્ષા મેડી ગામમાં ૩ યુવાનોનાં પાણીમાં ડૂબી જતાં મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૪૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે સેવા રાજકોટના મહેન્દ્ર ભાઈ (અતુલ ઓટો) દ્વારા પહોંચતી કરવામાં આવી છે.
           એ પ્રમાણે બોટાદ નજીક આવેલા સમઢિયાળા ગામમાં પણ બરવાળાના બે આશાસ્પદ યુવાનોનું પાણી માં ડૂબી જતાં મોત થયું છે તેમના પરિવારજનોને પણ રુપિયા ૩૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

સેમસંગે ભારતમાં નેક્સ્ટ જનરેશન AI ઇન્વર્ટર કોમ્પ્રેસર વાળા ત્રણ નવા રેફ્રિજરેટર્સ લોન્ચ કર્યા

Reporter1

પ્રોટીનવર્સ એ ગાંધીનગરમાં સ્ટોર શરૂ કરીને રિટેલ પ્રેઝન્ટનું વિસ્તરણ કર્યું

Reporter1

ડ્યુરોપ્લાય પ્લાયવૂડ ઉત્પાદનમાં ઉત્કૃષ્ટતા અને વારસાના 68મા વર્ષની ઉજવણી કરે છે

Reporter1
Translate »