Nirmal Metro Gujarati News
Uncategorized

મોરબી અને બોટાદ નજીક પાણીમાં ડૂબી જતાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત પર જાણે કાળચક્ર ફરી રહ્યું હોય તેમ અકુદરતી મૃત્યુનો સીલસીલો અટકવાનું નામ નથી લેતો. હજુ ભાવનગરમાં બોર તળાવમાં ચાર કિશોરીઓ પાણીમાં ડૂબી જતાં મૃત્યુ પામી તે ઘટનાની શાહી સૂકાઇ નથી ત્યાં માળીયાના વર્ષા મેડી ગામમાં ૩ યુવાનોનાં પાણીમાં ડૂબી જતાં મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૪૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે સેવા રાજકોટના મહેન્દ્ર ભાઈ (અતુલ ઓટો) દ્વારા પહોંચતી કરવામાં આવી છે.
           એ પ્રમાણે બોટાદ નજીક આવેલા સમઢિયાળા ગામમાં પણ બરવાળાના બે આશાસ્પદ યુવાનોનું પાણી માં ડૂબી જતાં મોત થયું છે તેમના પરિવારજનોને પણ રુપિયા ૩૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

શિવાલિક ગ્રુપે ‘ટ્રોફી’નું અનાવરણ કર્યુઃ ગિફ્ટ સિટીમાં વધુ એક સીમાચિહ્નરૂપ વિકાસ

Reporter1

સેમસંગ ‘બિગ ટીવી ડેઝ’ સેલ – અલ્ટ્રા-પ્રીમિયમ ટીવી પર તમારું ઘર એક ક્રિકેટ સ્ટેડિયમ જેવું દેખાશે

Reporter1

ઓક્સફર્ડ ઈન્ગ્લિશ લેન્ગ્વેજ લેવલ ટેસ્ટ્સ (ઓઈએલએલટી) યુનિવર્સિટી સાથે ભાગીદારીઓ મજબૂત બનાવે છેઃ દુનિયાભરની 30થી વધુ યુનિવર્સિટીઓને જોડી

Reporter1
Translate »