Nirmal Metro Gujarati News
Uncategorized

મિઝોરમ અને અન્યત્ર કરુણ ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

      તાજેતરમાં પૂર્વોત્તર ભારતમાં ‘રેમલ‘ વાવાઝોડું ફૂંકાયું હતું અને તેને કારણે પૂર્વીય ભારતના અનેક વિસ્તારોમાં જાનમાલની ભારે નુકસાની થઈ હતી. વાવાઝોડાના કારણે મિઝોરમના આઈઝોલ ખાતે ભારે વરસાદને કારણે ભેખડ ધસી પડતાં ૨૩ લોકો માર્યા ગયા હતા. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩,૪૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે સેવા શ્રી કનુભાઈ જાલાન દ્વારા પહોંચતી કરવામાં આવી રહી છે.
     અકુદરતી મોતની અન્ય ઘટનામાં વડોદરા નજીક કોટંબી પાસે અકસ્માતમાં ૪ લોકોનાં મોત નિપજયા હતાં. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પણ રુપિયા ૬૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે સેવા વડોદરા સ્થિત રામકથાના શ્રોતા નીતાબહેન દ્વારા પહોંચતી કરવામાં આવી રહી છે. કાલાવડના બાલંભડી ગામે બે બાળકોના ડૂબી જતાં મોત નિપજયા છે તેમના પરિવારજનોને પણ પૂજ્ય મોરારીબાપુએ ૩૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

સ્ટડી ગ્રુપનાયુકે યુનિવર્સિટી ડિસ્કવરી ડેને અદભુત પ્રતિસાદઃ ગુજરાતમાં સેંકડો વિદ્યાર્થીઓએ અગ્રણી યુકે યુનિવર્સિટીઓમાં ભણવાના વિકલ્પો જોયા અને મૂલ્યવાન ઈનસાઈટ્સ પ્રાપ્ત કરી

Reporter1

જેકે મેક્સ પેંટ્સ એ હોમ બ્યુટિફિકેશન પ્રત્યે પ્રતિબદ્ધતાને મજબૂત કરવા માટે  #SingleBrandSharmaJi કેમ્પેઇન લોન્ચ કર્યું

Reporter1

હિરો મોટોકોર્પ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનએ દેશનું વીજળીકરણ કરવા માટે હાથ મિલાવ્યા

Master Admin
Translate »