Nirmal Metro Gujarati News
Uncategorized

Morari Bapu’s tributes and assistance to victims of Kuwait fire tragedy, UP road accident

પ્રાપ્ત વિગતો અનુસાર કુવૈત માં એક રહેણાંકના ઈમારતમાં આગ લાગવાથી ૪૧ લોકોનાં કરુણ મોત નીપજયા છે જેમાં ૧૦ ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. આ આંકડો વઘે તેવી ભીતી સેવાઈ રહી છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૬,૧૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. કુવૈત ની કરન્સી મુજબ આ રાશિ પ્રત્યેકને ૫૫ કુવૈતી રિયાલ થશે જે રામકથાના શ્રોતા દ્વારા પહોંચતી કરવામાં આવશે.
અકસ્માતની બીજી ઘટનામાં ઉત્તરપ્રદેશ ના હરદોઈ ખાતે એક ટ્રક ફૂટપાથ પર સૂતેલા લોકો પર પડતાં ૮ લોકોનાં મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા પણ ૧,૨૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે લખનૌ સ્થિત શ્રોતાઓ દ્વારા પહોંચતી કરવામાં આવશે. બંને ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારીબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

પ્રોટીનવર્સ એ ગાંધીનગરમાં સ્ટોર શરૂ કરીને રિટેલ પ્રેઝન્ટનું વિસ્તરણ કર્યું

Reporter1

સેમસંગે ભારતમાં નેક્સ્ટ જનરેશન AI ઇન્વર્ટર કોમ્પ્રેસર વાળા ત્રણ નવા રેફ્રિજરેટર્સ લોન્ચ કર્યા

Reporter1

બ્લેકબેરીઝ – ભારતનાં ‘ફિટ એક્સ્પર્ટ’ સમગ્ર ભારતમાં પૂરક રીફિટ વોર્ડરોબ સર્વિસ પૂરી પાડે છે

Reporter1
Translate »