Nirmal Metro Gujarati News
article

ચલહી સ્વધર્મ નીરત શ્રુતિ નીતિ

 

 

બધા પોતાના સ્વધર્મમાં ચાલતા હતા.ધર્મરૂપી વૃષભના ચાર ચરણ રામ રાજ્યમાં સુદ્રઢ હતા.એ ચાર ચરણ છે:સત્ય,શૌચ,દયા અને તપ.ધર્મના ચાર ચરણમાંથી એકાદ પણ તૂટશે તો ત્રણેયને સહન કરવું પડશે.અલ્પમૃત્યુ ન હતું,બાપની પહેલા દીકરો મરતો ન હતો.બધા સુંદર હતા,સુંદરતાનો નિષેધ ન હતો પણ રામરાજ્યનું એક અંગ હતું.બધે જ ‘સબ’ ‘સબ’ શબ્દો જ છે જે અખિલાઇનો નિર્દેશ છે,કોઇ એકનો વિચાર જ નથી.બધા નિરોગી,કોઇ દુ:ખી,ગરીબ કે દીન ન હતું.બધાજ સાક્ષર હતા.નિર્દંભ હતા. ગુણવાન,પંડિત,જ્ઞાની હતા.ક્યાંય કપટ ન હતું.કાળ,કર્મ,સ્વભાવ અને ગુણથી મળતા દુ:ખો ન હતા.સપ્તદ્વીપ સુધી સુશાસન હતું.એકનારી વ્રત બધામાં ને બધા ઉદાર હતા.ગુના જ ન હતા,દંડ માત્ર સંન્યાસીઓનાં હાથમાં હતો.વન સમૃધ્ધ હતા સિંહ અને હાથી સાથે જીવતા.

 

વિજ્ઞાન સૂત્રોની કથા મુંબઇ ભાભા એટોમિક સેન્ટરમાં કરીશ એમ કહી બાપુએ બધા ઘાટ પર ચાલતી કથાનાં વિરામ સાથે ભાવ વ્યક્ત કર્યો કે:ભગવાન કરે ને આ બિલ્ડીંગમાં સત્ય-પ્રેમ-કરુણા ક્યારેક લખાઇ જાય!ને ઉમેર્યું કે એટલું તો બોલીશ જ કે કેટલી બેઇમાની ચાલે છે!વાતો સારી કરવી છે ને શસ્ત્રો તો બધાએ વેંચવા જ છે!બધાને પ્રસન્નતા,સાધુવાદ આપી આ કથાનું સુફળ સંયુક્ત રાષ્ટ્રસંઘને અર્પણ કરીને કથાને વિરામ આપ્યો.

 

આગામી-૯૪૧મી રામકથા ૧૭ ઓગસ્ટથી ૨૫ ઓગસ્ટ દરમિયાન ઇન્ડોનેશિયાનાં યોગ્યકાર્તાની ભૂમિ પરથી વહેશે.

 

સમય તફાવતનાં કારણે આ કથાનું જીવંત પ્રસારણ પ્રથમ દિવસે શનિવારે બપોરે ૨:૩૦ વાગ્યે શરૂ થશે.બાકીનાં દિવસોમાં સવારે ૮:૩૦થી ૧૨:૦૦ વાગ્યા સુધી ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબ ચેનલ તેમજ સંગીતની દુનિયા યુ-ટ્યુબ ચેનલ પરથી નિહાળી શકાશે.

 

આસ્થા ટીવી પર ડી-લાઇવ સમય પત્રક મુજબ નિયમિત સમયે પહેલા દિવસે બપોરે ૪ વાગ્યાથી અને બાકીનાં દિવસોમાં સવારે ૯:૩૦થી ૧:૦૦ દરમિયાન કથાનું પ્રસારણ નિહાળી શકાશે.

 

આ રામકથા પહેલા તુલસી જયંતિ જન્મોત્સવ ૭ ઓગસ્ટથી ૧૧ ઓગસ્ટ કૈલાસ ગુરુકૂલ-મહુવા ખાતે ઉજવાશે.

 

Box

 

કથાવિશેષ:

 

કેવું હતું રામ રાજ્ય?

 

રામરાજ્ય વખતે પાંચ સામ્રાજ્યોને રામે એક કર્યા.

 

આજે આખા જગતમાંથી યુનોના ૧૯૩ દેશ સભ્ય છે.બધાને એક કરવાની યુનો કોશિશ કરી રહ્યું છે.

 

રામરાજ્ય હશે ત્યારે કેટલા રાષ્ટ્ર હશે?રામના કાળમાં ત્રિલોકને તો છોડીએ,પણ પૃથ્વી ઉપર પાંચ સામ્રાજ્ય હતા.

 

૧-અવધ.૨-મિથિલા.૩-નાનકડું છતાં મજબૂત શૃંગબેરપુર.૪-કિષ્કિંધા.૫-લંકાનું સામ્રાજ્ય.

 

આ પાંચ રાજ્યની વાત છે.એટલે જ અવધરાજ, ગુહરાજ,વાલી-વાનરરાજ,જનકરાજ અને અસુર રાજ અહીં દેખાય છે.

 

ભગવાન રામે આ પાંચેયને સંયુક્ત કરી દીધું.આ સંસ્થા પણ આવા કામ માટે કાર્યરત છે.એકબીજા સાથે કોઈ વેર ન કરે તો જ બધા જોડાઈ શકે છે. અયોધ્યામાં સત્યનું રાજ હતું.મિથિલામાં જ્ઞાન અને વિવેકનું રાજ્ય હતું.ગુહરાજ અનુરાગનું રાજ્ય હતું. અને કિષ્કિધામાં રામની શક્તિ,શાંતિ અને ભક્તિની શોધ માટે સેવાકાર્યમાં જોડાયેલું સેવાનું રાજ્ય હતું. લંકામાં તમસતા-અહંકાર-મુઢતાનું રાજ હતું.

 

આ પાંચેય રાજ્યને એક કરવું ખૂબ મુશ્કેલ હતું. કારણ કે સેવા માટે જાગૃતિ જરૂર છે.લંકામાં તમસતા હતી,પ્રેમ કરે તો એ વેર ન કરી શકે.એક પરમ તત્વ અવતારિત થયું અને પાંચેયને જોડી દીધા!

 

બાપુએ કહ્યું કે વિદ્વાનોને નિમંત્રિત કરું કે આ પાંચેય રાજ્યો ઉપર સંશોધન કરે.

Related posts

Symbiosis MBA Admissions are Now Open via SNAP Test 2024

Reporter1

જગતનાં તમામ દ્વંદોને હસીને સહી લેવા તપ છે. સમય પર મૌન રહેવું તપ છે. વાદ કરવો પણ વિવાદ ન કરવો એ તપ છે. પરમાત્માનું વિસ્મરણ ન કરવાનો દ્રઢ સંકલ્પ તપ છે. તપ અને ઋત પર સૃષ્ટિ ટકી છે

Reporter1

Toyota Kirloskar Motor Reaffirms its Commitment to Environmental Sustainability on the World Environment Health Day 2024

Reporter1
Translate »